Gyan Sahayak Recruitment 2025 : શું તમે શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપવા માંગો છો? તો તમારા માટે અમે લઈને આવ્યા છીએ એક નવી ભરતીની માહિતી. કમિશનરશ્રી આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની વિવિધ કચેરીઓ અંતર્ગત ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ (આશ્રમશાળાઓ) માં “જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક)” અંતર્ગત 11 માસના કરાર આધારિત જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.
આ ભરતીમાં “જ્ઞાન સહાયક (પ્રાથમિક) નિવાસી” ની જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. આ ભરતી માટે કોઈ પરીક્ષા નથી, અને પસંદગી યાદી તૈયાર કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. જ્ઞાન સહાયક ભરતી વિશેની સંપૂર્ણ માહિતી અહીં આપેલી છે, તો ફોર્મ ભરતા પહેલા બધી જ વિગતો ધ્યાનપૂર્વક વાંચી લો.
Gyan Sahayak Recruitment 2025 | જ્ઞાન સહાયક ભરતી 2025
સંસ્થા | કમિશનરશ્રી આદિજાતિ વિકાસ કચેરી, નિયામકશ્રી અનુસુચિત જાતિ કલ્યાણ અને નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ કચેરી |
પોસ્ટનું નામ | જ્ઞાન સહાયક (પ્રાથમિક) નિવાસી |
કુલ જગ્યા | – |
નોકરી સ્થાન | ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ (આશ્રમશાળાઓ) |
અરજી શરૂ કરવાની તારીખ | 18 જૂન 2025 (14:00 કલાક થી) |
અરજી કરવાની છેલ્લી તારીખ | 25 જૂન 2025 (23:59 કલાક સુધી) |
અરજી કરવાની રીત | ઓનલાઈન |
પગાર ધોરણ | ₹ 21,000/- (માસિક ફિક્સ મહેનતાણું) |
Gyan Sahayak Recruitment 2025 જગ્યાઓ
જગ્યાનું નામ | જગ્યાની સંખ્યા |
---|---|
જ્ઞાન સહાયક (પ્રાથમિક) નિવાસી | – |
જ્ઞાન સહાયક ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત
ઉકત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત અંગેની વિગતવાર માહિતી માટે સત્તાવાર વેબસાઇટ પર મૂકેલ સૂચનાઓ/માર્ગદર્શિકા વાંચવી ફરજિયાત છે.
ઉંમર મર્યાદા
ઓછામાં ઓછી ઉંમર | – |
વધુમાં વધુ ઉંમર | 40 વર્ષ |
ઉંમરમાં છૂટછાટ | સરકારશ્રીના ધારાધોરણ મુજબ (વધુ વિગત માટે સત્તાવાર સૂચના જુઓ) |
ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઇન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે. ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
અરજી ફી
અરજી ફી અંગેની સંપૂર્ણ માહિતી સત્તાવાર સૂચનાઓમાં આપેલી છે. કૃપા કરીને નોટિફિકેશનનો સંદર્ભ લો.
પસંદગી પ્રક્રિયા
પસંદગી યાદી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોની ઓન-લાઈન અરજીઓના આધારે તૈયાર કરવામાં આવશે. પ્રમાણપત્રોની ખરાઈ માટે રૂબરૂ બોલાવવામાં આવશે.
Gyan Sahayak Recruitment 2025 અગત્યની તારીખો
અરજી શરૂ થવાની તારીખ | 18 જૂન 2025 (14:00 કલાક થી) |
અરજી કરવાની છેલ્લી તારીખ | 25 જૂન 2025 (23:59 કલાક સુધી) |
જ્ઞાન સહાયક (પ્રાથમિક) પગાર ધોરણ
આ જ્ઞાન સહાયક (પ્રાથમિક) નિવાસીની ભરતી માટે પ્રતિ માહ ₹ 21,000/- ફિક્સ મહેનતાણું રહેશે.
જ્ઞાન સહાયક ભરતી 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓન-લાઇન અરજી https://ashramgyansahayak.ssgujarat.org/ વેબસાઇટ પર જઇ કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબસાઇટ પર મૂકેલ ઉકત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી.
આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.
ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન-લાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.
અગત્યની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification PDF: | Click Here (નોટિફિકેશન જુઓ) |
Apply Online: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |