Mukhyamantri Gyan Setu Merit Scholarship Scheme 2025 : ધોરણ ૬ થી ૧૨ માં વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૫,૦૦૦ થી ૨૫,૦૦૦ શિષ્યવૃત્તિ મળશે.

Mukhyamantri Gyan Setu Merit Scholarship Scheme 2025 : મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના આ યોજના ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ પહેલ છે જે તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદરૂપ થાય છે.

Mukhyamantri Gyan Setu Merit Scholarship Scheme 2025 : યોજનાનો હેતુ અને પાત્રતા

  • યોજના: દર વર્ષે ધોરણ ૫ પૂર્ણ કરેલા ૩૦,૦૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે.
  • લાયકાત:
    • જે વિદ્યાર્થીઓએ સરકારી અને અનુદાનિત (ગ્રાન્ટેડ) પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫ સુધીનો સળંગ અભ્યાસ કર્યો હોય અને હાલ ધોરણ ૫ માં અભ્યાસ કરતા હોય, તેઓ આ યોજના માટે પાત્ર છે.
    • વિદ્યાર્થીએ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) ઉત્તીર્ણ કરેલ હોવી જોઈએ.
  • પરીક્ષા ફી: હાલમાં આ પરીક્ષા માટે કોઈ ફી નથી.

Mukhyamantri Gyan Setu Merit Scholarship Scheme 2025 : શિષ્યવૃત્તિના લાભો

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ વિદ્યાર્થીઓને બે પ્રકારની શાળાઓમાં પ્રવેશ મેળવવા પર શિષ્યવૃત્તિ મળે છે:

૧. સરકારી અને અનુદાનિત (ગ્રાન્ટેડ) સ્કૂલમાં પ્રવેશ માટે મળતી શિષ્યવૃત્તિ

જો વિદ્યાર્થીઓ સરકારી અથવા અનુદાનિત (ગ્રાન્ટેડ) શાળાઓમાં પ્રવેશ મેળવે છે, તો તેમને નીચે મુજબ વાર્ષિક શિષ્યવૃત્તિ મળે છે:

  • ધોરણ ૬ થી ૮: વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૫,૦૦૦
  • ધોરણ ૯ થી ૧૦: વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૬,૦૦૦
  • ધોરણ ૧૧ થી ૧૨: વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૭,૦૦૦

આ ઉપરાંત, આ શાળાઓને પણ વિદ્યાર્થી દીઠ વાર્ષિક ગ્રાન્ટ મળે છે:

  • ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થી દીઠ રૂ. ૨,૦૦૦
  • ધોરણ ૯ થી ૧૦ ના વિદ્યાર્થી દીઠ રૂ. ૩,૦૦૦
  • ધોરણ ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થી દીઠ રૂ. ૪,૦૦૦

૨. નિયત ધારાધોરણ મુજબ પસંદ કરેલ સ્વનિર્ભર શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ

જો વિદ્યાર્થીઓ નિયત ધારાધોરણ મુજબ પસંદ કરેલ સ્વનિર્ભર (પ્રાઈવેટ) શાળાઓમાં પ્રવેશ મેળવે છે, તો તેમને નીચે મુજબ વાર્ષિક શિષ્યવૃત્તિ મળે છે:

  • ધોરણ ૬ થી ૮: વાર્ષિક રૂ. ૨૦,૦૦૦
  • ધોરણ ૯ થી ૧૦: વાર્ષિક રૂ. ૨૨,૦૦૦
  • ધોરણ ૧૧ થી ૧૨: વાર્ષિક રૂ. ૨૫,૦૦૦

મહત્વપૂર્ણ નોંધ: બંને કિસ્સાઓમાં, શિષ્યવૃત્તિની રકમ વિદ્યાર્થી કે તેના વાલીના ખાતામાં દર વર્ષે જમા થશે.

Mukhyamantri Gyan Setu Merit Scholarship Scheme 2025 : મહત્વપૂર્ણ વિગતો

  • શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયેથી જો વિદ્યાર્થી શાળા બદલવા ઈચ્છે તો શાળા બદલી શકશે.
  • ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઈટ: તમે www.sebexam.org તથા www.ssagujarat.org પર Online Attendance System પર જઈને આવેદનપત્ર ભરી શકો છો. શાળા કક્ષાએથી પણ તમને માર્ગદર્શન મળી રહેશે.

આ યોજના તેજસ્વી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવીને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવામાં ખુબ મદદરૂપ થશે.

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
હાલમાં ચાલી રહેલી યોજનાઓ:Click Here

Leave a Comment