Ashram Shala Bharti 2025 : શું તમે શિક્ષક બનવા માંગો છો ? તો તમારા માટે અમે લઈને આવ્યા છીએ એક નવી ભરતીની માહિતી. છોટા ઉદેપુરની વિવિધ શાળાઓ માં શિક્ષણ સહાયક ની ભરતી જાહેર કરવામાં આવી છે.
આ ભરતીમાં ફોર્મ ભરવા માટે કોઈ ફી ભરવાની નથી. સીધી જ અરજી કરીને તમે આ ભરતીમાં ભાગ લઈ શકો છો. સાથે સાથે આ ભરતી માટે કોઈ પરીક્ષા પણ આપવાની નથી. આશ્રમશાળા ભરતી વિશેની સંપૂર્ણ માહિતી અહી આપેલી છે, તો ફોર્મ ભરતા પહેલા બધી જ વિગતો વાંચી લો.
Ashram Shala Bharti 2025
સંસ્થા | આશ્રમ શાળા છોટા ઉદેપુર |
પોસ્ટનું નામ | શિક્ષણ સહાયક |
કુલ જગ્યા | 2 |
નોકરી સ્થાન | છોટા ઉદેપુર, ગુજરાત |
અરજી શરૂ કરવાની તારીખ | 01 જાન્યુઆરી 2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાતના 15 દિવસો માં |
અરજી કરવાની રીત | ઓફલાઇન |
પગાર ધોરણ | ₹ 49,600 |
Ashram Shala Bharti 2025 જગ્યાઓ
જગ્યાનું નામ | જગ્યાની સંખ્યા | રોસ્ટર ક્રમ જાતિ | વિષય |
---|---|---|---|
શિક્ષણસહાયક (ધો-9,10) | 01 | બિન અનામત | ગુજરાતી |
શિક્ષણસહાયક (ધો-11,12) | 01 | બિન અનામત | ભૂગોળ |
નોકરી સ્થળ
- શ્રી વિદ્યા વિકાસ ઉત્તર બુનિયાદી આશ્રમશાળા, કોહીવાવ, તા. જેતપુરપાવી, જિ.છોટાઉદેપુર (ધો. ૯ અને ૧૦ માટે) વિષય-ગુજરાતી શિક્ષણસહાયક-૦૧
- ઉત્તર બુનિયાદી આશ્રમશાળા, રતનપુર (કપરાલી), તા.નસવાડી, જિ. છોટાઉદેપુર વિષય-ભૂગોળ, ધો-૧૧ થી ૧૨ માટે શિક્ષણસહાયક-૦૧
Ashram Shala Bharti 2025 માટે શૈક્ષણિક લાયકાત
જગ્યાનું નામ | લાયકાત | વિષય |
---|---|---|
શિક્ષણસહાયક (ગુજરાતી) | બી.એ.બી.એડ.ટાટ-૧ | ગુજરાતી |
શિક્ષણસહાયક (ભૂગોળ) | એમ.એ.બી.એડ.ટાટ-૨ | ભૂગોળ |
ઉંમર મર્યાદા
ઓછામાં ઓછી ઉંમર | 18 વર્ષ |
વધુમાં વધુ ઉંમર | 35 વર્ષ |
ઉંમરમાં છૂટછાટ | સરકારશ્રી ના ધારાધોરણ મુજબ |
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
અરજી ફી
આ ભરતી માટે કોઈ અરજી ફી ભરવાની નથી.
પસંદગી પ્રક્રિયા
આવેલી બધી જ અરજીઓ ના મેરીટ આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
Ashram Shala Bharti 2025 અગત્યની તારીખો
અરજી શરૂ થવાની તારીખ | 01 જાન્યુઆરી 2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાતના 15 દિવસો માં |
શિક્ષણ સહાયક પગાર ધોરણ
આ શિક્ષણ સહાયક ની ભરતી માટે ધો 9,10 માં માસિક ₹40,800 અને ધો 11,12 માં માસિક ₹ 49,600 પગાર રહેશે.
Ashram Shala Bharti 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ લિવિંગ સર્ટી તથા શૈક્ષણિક લાયકાત તેમજ જરૂરી લાયકાતના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોટાડી જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન-15 (પંદર)માં રજી.પોસ્ટ એડીથી અરજી મોકલી આપવાની રહેશે.
અરજી મોકલવાનું સરનામું :
ક્રમ નં. ૧ : પ્રમુખશ્રી/મંત્રીશ્રી, વનમાળી સેવા સમાજ ટ્રસ્ટ, જેતપુરપાવી, મુ.પો.તા. જેતપુરપાવી જિ. છોટાઉદેપુર
ક્રમ નં. ૨ : પ્રમુખશ્રી/મંત્રીશ્રી, તુલસી સેવા શ્રમ ટ્રસ્ટ, જેતપુરપાવી મુ.પો.તા.જેતપુરપાવી જિ. છોટાઉદેપુર
અગત્યની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification PDF: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |
અન્ય સૂચનાઓ
- નિવાસી આશ્રમશાળા હોઈ સ્થળ પર ચોવીસ કલાક રહેવાનુ અને ગૃહપતિ, ગૃહમાતાની ફરજ બજાવવાની રહેશે.
- ગુજરાત સરકારના આદિજાતિ વિભાગના ઠરાવ પ્રમાણે પાંચ વર્ષ સુધી ફિફ્સ પગાર મળવાપાત્ર રહેશે.
- વય મર્યાદા આદિજાતિ વિકાસ વિભાગના ઠરાવ તથા વખતો વખતના સુધારા-વધારા મુજબ રહેશે.
- સરકારશ્રી દ્વારા નિયત થયેલ અને નિયત અવધિ ધરાવતી TAT-1/2 માધ્ય/ઉચ્ચ માધ્યમિક વિભાગની પરીક્ષા જાહેરાત પ્રસિધ્ધ થયાના પહેલા પાસ કરેલી હોવી જોઈએ.
- બંને જગ્યા માટે અલગ અરજી કરવાની રહેશે. અરજીના કવર ઉપર આશ્રમશાળાનું નામ અને વિષય લખવાનો રહેશે.
- ઉમેદવાર ઇચ્છે તો અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારીશ્રી (આશ્રમ શાળા)ની કચેરી, સરકારી કુમાર છાત્રાલય, છોટા ઉદેપુર ખાતે મોકલી શકશે.