Ashram Shala Bharti 2025 : આશ્રમશાળામાં આવી શિક્ષણ સહાયકની ભરતી, પગાર ₹49,600 સુધી

Ashram Shala Bharti 2025 : શું તમે શિક્ષક બનવા માંગો છો ? તો તમારા માટે અમે લઈને આવ્યા છીએ એક નવી ભરતીની માહિતી. છોટા ઉદેપુરની વિવિધ શાળાઓ માં શિક્ષણ સહાયક ની ભરતી જાહેર કરવામાં આવી છે.

આ ભરતીમાં ફોર્મ ભરવા માટે કોઈ ફી ભરવાની નથી. સીધી જ અરજી કરીને તમે આ ભરતીમાં ભાગ લઈ શકો છો. સાથે સાથે આ ભરતી માટે કોઈ પરીક્ષા પણ આપવાની નથી. આશ્રમશાળા ભરતી વિશેની સંપૂર્ણ માહિતી અહી આપેલી છે, તો ફોર્મ ભરતા પહેલા બધી જ વિગતો વાંચી લો.

Ashram Shala Bharti 2025

સંસ્થાઆશ્રમ શાળા છોટા ઉદેપુર
પોસ્ટનું નામશિક્ષણ સહાયક
કુલ જગ્યા2
નોકરી સ્થાનછોટા ઉદેપુર, ગુજરાત
અરજી શરૂ કરવાની તારીખ01 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખજાહેરાતના 15 દિવસો માં
અરજી કરવાની રીતઓફલાઇન
પગાર ધોરણ₹ 49,600

Ashram Shala Bharti 2025 જગ્યાઓ

જગ્યાનું નામજગ્યાની સંખ્યારોસ્ટર ક્રમ જાતિવિષય
શિક્ષણસહાયક (ધો-9,10)01બિન અનામતગુજરાતી
શિક્ષણસહાયક (ધો-11,12)01બિન અનામતભૂગોળ

નોકરી સ્થળ

  • શ્રી વિદ્યા વિકાસ ઉત્તર બુનિયાદી આશ્રમશાળા, કોહીવાવ, તા. જેતપુરપાવી, જિ.છોટાઉદેપુર (ધો. ૯ અને ૧૦ માટે) વિષય-ગુજરાતી શિક્ષણસહાયક-૦૧
  • ઉત્તર બુનિયાદી આશ્રમશાળા, રતનપુર (કપરાલી), તા.નસવાડી, જિ. છોટાઉદેપુર વિષય-ભૂગોળ, ધો-૧૧ થી ૧૨ માટે શિક્ષણસહાયક-૦૧

Ashram Shala Bharti 2025 માટે શૈક્ષણિક લાયકાત

જગ્યાનું નામલાયકાતવિષય
શિક્ષણસહાયક (ગુજરાતી) બી.એ.બી.એડ.ટાટ-૧ગુજરાતી
શિક્ષણસહાયક (ભૂગોળ)એમ.એ.બી.એડ.ટાટ-૨ભૂગોળ

ઉંમર મર્યાદા

ઓછામાં ઓછી ઉંમર18 વર્ષ
વધુમાં વધુ ઉંમર35 વર્ષ
ઉંમરમાં છૂટછાટસરકારશ્રી ના ધારાધોરણ મુજબ

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

અરજી ફી

આ ભરતી માટે કોઈ અરજી ફી ભરવાની નથી.

પસંદગી પ્રક્રિયા

આવેલી બધી જ અરજીઓ ના મેરીટ આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

Ashram Shala Bharti 2025 અગત્યની તારીખો

અરજી શરૂ થવાની તારીખ01 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખજાહેરાતના 15 દિવસો માં

શિક્ષણ સહાયક પગાર ધોરણ

આ શિક્ષણ સહાયક ની ભરતી માટે ધો 9,10 માં માસિક ₹40,800 અને ધો 11,12 માં માસિક ₹ 49,600 પગાર રહેશે.

Ashram Shala Bharti 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?

ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ લિવિંગ સર્ટી તથા શૈક્ષણિક લાયકાત તેમજ જરૂરી લાયકાતના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોટાડી જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન-15 (પંદર)માં રજી.પોસ્ટ એડીથી અરજી મોકલી આપવાની રહેશે.

અરજી મોકલવાનું સરનામું :

ક્રમ નં. ૧ : પ્રમુખશ્રી/મંત્રીશ્રી, વનમાળી સેવા સમાજ ટ્રસ્ટ, જેતપુરપાવી, મુ.પો.તા. જેતપુરપાવી જિ. છોટાઉદેપુર

ક્રમ નં. ૨ : પ્રમુખશ્રી/મંત્રીશ્રી, તુલસી સેવા શ્રમ ટ્રસ્ટ, જેતપુરપાવી મુ.પો.તા.જેતપુરપાવી જિ. છોટાઉદેપુર

અગત્યની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

અન્ય સૂચનાઓ

  1. નિવાસી આશ્રમશાળા હોઈ સ્થળ પર ચોવીસ કલાક રહેવાનુ અને ગૃહપતિ, ગૃહમાતાની ફરજ બજાવવાની રહેશે.
  2. ગુજરાત સરકારના આદિજાતિ વિભાગના ઠરાવ પ્રમાણે પાંચ વર્ષ સુધી ફિફ્સ પગાર મળવાપાત્ર રહેશે.
  3. વય મર્યાદા આદિજાતિ વિકાસ વિભાગના ઠરાવ તથા વખતો વખતના સુધારા-વધારા મુજબ રહેશે.
  4. સરકારશ્રી દ્વારા નિયત થયેલ અને નિયત અવધિ ધરાવતી TAT-1/2 માધ્ય/ઉચ્ચ માધ્યમિક વિભાગની પરીક્ષા જાહેરાત પ્રસિધ્ધ થયાના પહેલા પાસ કરેલી હોવી જોઈએ.
  5. બંને જગ્યા માટે અલગ અરજી કરવાની રહેશે. અરજીના કવર ઉપર આશ્રમશાળાનું નામ અને વિષય લખવાનો રહેશે.
  6. ઉમેદવાર ઇચ્છે તો અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારીશ્રી (આશ્રમ શાળા)ની કચેરી, સરકારી કુમાર છાત્રાલય, છોટા ઉદેપુર ખાતે મોકલી શકશે.

Leave a Comment