Ashram Shala Bharti Dahod : શું તમે શિક્ષક બનવા માંગો છો ? તો તમારા માટે અમે લઈને આવ્યા છીએ એક નવી ભરતીની માહિતી. દાહોદની એક આશ્રમશાળામાં શિક્ષણ સહાયક ની ભરતી જાહેર કરવામાં આવી છે. ન્યુઝ પેપરમાં આ જાહેરાત આપવામાં આવી છે. જાહેરાતના 15 દિવસમાં અરજી કરવામાં આવશે તો જ માન્ય ગણવામાં આવશે.
આ ભરતીમાં ફોર્મ ભરવા માટે કોઈ ફી ભરવાની નથી. સીધી જ અરજી કરીને તમે આ ભરતીમાં ભાગ લઈ શકો છો. સાથે સાથે આ ભરતી માટે કોઈ પરીક્ષા પણ આપવાની નથી. આશ્રમશાળા ભરતી વિશેની સંપૂર્ણ માહિતી અહી આપેલી છે, તો ફોર્મ ભરતા પહેલા બધી જ વિગતો વાંચી લો.
Ashram Shala Bharti Dahod
સંસ્થા | આશ્રમ શાળા દાહોદ |
પોસ્ટનું નામ | શિક્ષણ સહાયક |
કુલ જગ્યા | 2 |
નોકરી સ્થાન | દાહોદ, ગુજરાત |
ન્યુઝ પેપરમાં જાહેરાત તારીખ | 09 જાન્યુઆરી 2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાતના 15 દિવસો માં |
અરજી કરવાની રીત | ઓફલાઇન |
પગાર ધોરણ | ₹ 49,600 |
Ashram Shala Bharti Dahod જગ્યાઓ
જગ્યાનું નામ | જગ્યાની સંખ્યા | રોસ્ટર ક્રમ જાતિ | વિષય |
---|---|---|---|
શિક્ષણસહાયક (ધો-11,12) | 01 | બિન અનામત | ગુજરાતી |
શિક્ષણસહાયક (ધો-11,12) | 01 | સા.શૈ. ૫.વર્ગ | ગુજરાતી |
Ashram Shala Bharti Dahod નોકરી સ્થળ
- શ્રી ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી વાલ્મીકી આશ્રમ શાળા ઝાબપુર્વ તા. ફતેપુરા જિ. દાહોદ વિષય-ગુજરાતી, ધો-૧૧ થી ૧૨ માટે શિક્ષણસહાયક-02
Ashram Shala Bharti Dahod માટે શૈક્ષણિક લાયકાત
જગ્યાનું નામ | લાયકાત | વિષય |
---|---|---|
શિક્ષણસહાયક (ગુજરાતી) | એમ.એ.બી.એડ.ટાટ-૨ | ગુજરાતી |
ઉંમર મર્યાદા
ઓછામાં ઓછી ઉંમર | 18 વર્ષ |
વધુમાં વધુ ઉંમર | 35 વર્ષ |
ઉંમરમાં છૂટછાટ | સરકારશ્રી ના ધારાધોરણ મુજબ |
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
અરજી ફી
આ ભરતી માટે કોઈ અરજી ફી ભરવાની નથી.
પસંદગી પ્રક્રિયા
આવેલી બધી જ અરજીઓ ના મેરીટ આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
Ashram Shala Bharti Dahod અગત્યની તારીખો
અરજી શરૂ થવાની તારીખ | 09 જાન્યુઆરી 2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાતના 15 દિવસો માં |
શિક્ષણ સહાયક પગાર ધોરણ
આ શિક્ષણ સહાયક ની ભરતી માટે ધો 11,12 માં માસિક ₹ 49,600 પગાર રહેશે.
Ashram Shala Bharti Dahod માં ફોર્મ કઈ રીતે ભરવું ?
ઉપરોક્ત લાયકાત ધરાવનાર ઉમેદવારો પાસેથી લાયકાત મુજબ પૂરેપૂરુ સરનામું અને બે સંપર્ક નંબર તથા આઈડી પ્રૂફ સાથે સ્વપ્રમાણિત કરેલ તમામ પ્રમાણપત્રોની નકલ સહિતની અરજીઓ ફક્ત રજીસ્ટડ એડી દ્વારા જાહેરાત પ્રકાશિત થયેથી 15 (પંદર) દિવસમાં મંગાવવામાં આવે છે.
અરજી મોકલવાનું સરનામું :
પ્રમુખ શ્રી ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ,
કુંડલા પો. જવેસી તા. ફતેપુરા
જિલ્લો. દાહોદ પીન 389190
અગત્યની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |
ખાસ નોંધ : આ માહિતી દિવ્ય ભાસ્કર તા 9/1/2025 માં આવેલ જાહેરાતના આધારે આપેલી છે. આ જાહેરાત ઉપર આપેલ Official Notification માં જોઈ શકો છો.
અન્ય સૂચનાઓ
- ઉપર મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે નીચે જણાવેલ સરનામે દિન ૧૫માં અરજી ૨જીસ્ટર પોસ્ટ એડીથી મોકલવાની રહેશે.
- અધુરી વિગત વાળી તથા સમય મર્યાદા બહાર આવેલ અરજીઓ અમાન્ય ગણાશે
- નોંધ :- નિમણુક પામેલ ઉમેદવારે આશ્રમશાળામાં 24 કલાક સ્થળ પર રહીને ફરજ બજાવવાની રહેશે.
I am reddy sir,
BSC college complete
બેન આ ભરતી માટે TAT 2 પરિક્ષા પાસ હોવી જરૂરી છે.