Ashram Shala Bharti Mahisagar : મહિસાગર જીલ્લાની આશ્રમશાળામાં આવી શિક્ષકની ભરતી, પગાર ₹49,600

Ashram Shala Bharti Mahisagar : શું તમે શિક્ષક બનવા માંગો છો ? તો તમારા માટે અમે લઈને આવ્યા છીએ એક નવી ભરતીની માહિતી. મહીસાગરની એક આશ્રમશાળામાં શિક્ષણ સહાયક ની ભરતી જાહેર કરવામાં આવી છે. ન્યુઝ પેપરમાં આ જાહેરાત આપવામાં આવી છે. જાહેરાતના 10 દિવસમાં અરજી કરવામાં આવશે તો જ માન્ય ગણવામાં આવશે.

આ ભરતીમાં ફોર્મ ભરવા માટે કોઈ ફી ભરવાની નથી. સીધી જ અરજી કરીને તમે આ ભરતીમાં ભાગ લઈ શકો છો. સાથે સાથે આ ભરતી માટે કોઈ પરીક્ષા પણ આપવાની નથી. આશ્રમશાળા ભરતી વિશેની સંપૂર્ણ માહિતી અહી આપેલી છે, તો ફોર્મ ભરતા પહેલા બધી જ વિગતો વાંચી લો.

Ashram Shala Bharti Mahisagar

સંસ્થાઆશ્રમ શાળા મહીસાગર
પોસ્ટનું નામશિક્ષણ સહાયક
કુલ જગ્યા2
નોકરી સ્થાનમહીસાગર, ગુજરાત
ન્યુઝ પેપરમાં જાહેરાત તારીખ17 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખજાહેરાતના 10 દિવસો માં
અરજી કરવાની રીતઓફલાઇન
પગાર ધોરણ₹ 49,600

Ashram Shala Bharti Mahisagar જગ્યાઓ

જગ્યાનું નામજગ્યાની સંખ્યારોસ્ટર ક્રમ જાતિવિષય
શિક્ષણસહાયક (ધો-11,12)01બિન અનામતહિન્દી
શિક્ષણસહાયક (ધો-11,12)01સા.શૈ. ૫.વર્ગસમાજશાસ્ત્ર

Ashram Shala Bharti Mahisagar નોકરી સ્થળ

  • મમતા કેળવણી મંડળ મોટી સરસણ સંચાલિત સ્વામી વિવેકાનંદ આશ્રમશાળા ગોઠીબડા તા.સંતરામપુર જી. મહીસાગર વિષય-હિન્દી અને સમાજશાસ્ત્ર, ધો-૧૧ થી ૧૨ માટે શિક્ષણસહાયક-02

Ashram Shala Bharti Mahisagar માટે શૈક્ષણિક લાયકાત

જગ્યાનું નામલાયકાતવિષય
શિક્ષણસહાયક (હિન્દી)એમ.એ.બી.એડ.ટાટ-૨હિન્દી
શિક્ષણસહાયક (સમાજશાસ્ત્ર)એમ.એ.બી.એડ.ટાટ-૨સમાજશાસ્ત્ર

ઉંમર મર્યાદા

ઓછામાં ઓછી ઉંમર18 વર્ષ
વધુમાં વધુ ઉંમર35 વર્ષ
ઉંમરમાં છૂટછાટસરકારશ્રી ના ધારાધોરણ મુજબ

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

અરજી ફી

આ ભરતી માટે કોઈ અરજી ફી ભરવાની નથી.

પસંદગી પ્રક્રિયા

આવેલી બધી જ અરજીઓ ના મેરીટ આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

Ashram Shala Bharti Mahisagar અગત્યની તારીખો

અરજી શરૂ થવાની તારીખ17 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખજાહેરાતના 10 દિવસો માં

શિક્ષણ સહાયક પગાર ધોરણ

આ શિક્ષણ સહાયક ની ભરતી માટે ધો 11,12 માં માસિક ₹ 49,600 પગાર રહેશે.

Ashram Shala Bharti Mahisagar માં ફોર્મ કઈ રીતે ભરવું ?

ઉપરોક્ત લાયકાત ધરાવનાર ઉમેદવારો પાસેથી લાયકાત મુજબ પૂરેપૂરુ સરનામું અને બે સંપર્ક નંબર તથા આઈડી પ્રૂફ સાથે સ્વપ્રમાણિત કરેલ તમામ પ્રમાણપત્રોની નકલ સહિતની અરજીઓ ફક્ત રજીસ્ટડ એડી દ્વારા જાહેરાત પ્રકાશિત થયેથી 10 (દસ) દિવસમાં મંગાવવામાં આવે છે.

અરજી મોકલવાનું સરનામું :

પ્રમુખશ્રી, મમતા કેળવણી મંડળ,
મોટી સરસણ મુ.પો.મોટી સરસણ
તા.સંતરામપુર જી.મહીસાગર પિન-૩૮૯૨૩૦

અગત્યની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification:Click Here
અન્ય આશ્રમશાળા ભરતી:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

અન્ય સૂચનાઓ

  1. નિમણુંક પામેલા ઉમેદવારે આશ્રમશાળાના સ્થળ પર ૨૪ કલાક રહેવું ફરજીયાત છે.
  2. અધુરી વિગત અને અધૂરા પ્રમાણપત્રોવાળી અરજી ધ્યાને લેવાશે નહિ.
  3. શિક્ષણ સહાયકના સરકારશ્રીના વર્તમાન ધારા-ધોરણ મુજબ ફિક્સ પગાર મળવાપાત્ર થશે.
  4. આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગરના પરિપત્રો ઠરાવો અને સુચનાઓનું પાલન કરવાનું રહેશે.
  5. ઉમેદવારે કમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા પાસ કરેલી હોવી જોઇએ.
  6. ઉપર મુજબના વિષય અને લાયકાત સિવાયના તથા સમયમર્યાદા પછી આવેલ અરજીઓ આપો આપ રદ થવાને પાત્ર રહેશે.

2 thoughts on “Ashram Shala Bharti Mahisagar : મહિસાગર જીલ્લાની આશ્રમશાળામાં આવી શિક્ષકની ભરતી, પગાર ₹49,600”

Leave a Comment