Ashram Shala Bharti 2025 : શું તમે શિક્ષક બનવા માંગો છો ? તો તમારા માટે અમે લઈને આવ્યા છીએ એક નવી ભરતીની માહિતી. નવસારીની એક આશ્રમશાળામાં શિક્ષણ સહાયક ની ભરતી જાહેર કરવામાં આવી છે. ન્યુઝ પેપરમાં આ જાહેરાત આપવામાં આવી છે. જાહેરાતના 10 દિવસમાં અરજી કરવામાં આવશે તો જ માન્ય ગણવામાં આવશે.
આ ભરતીમાં ફોર્મ ભરવા માટે કોઈ ફી ભરવાની નથી. સીધી જ અરજી કરીને તમે આ ભરતીમાં ભાગ લઈ શકો છો. સાથે સાથે આ ભરતી માટે કોઈ પરીક્ષા પણ આપવાની નથી. આશ્રમશાળા ભરતી વિશેની સંપૂર્ણ માહિતી અહી આપેલી છે, તો ફોર્મ ભરતા પહેલા બધી જ વિગતો વાંચી લો.
Ashram Shala Bharti 2025
સંસ્થા | આશ્રમ શાળા નવસારી |
પોસ્ટનું નામ | શિક્ષણ સહાયક |
કુલ જગ્યા | 1 |
નોકરી સ્થાન | નવસારી, ગુજરાત |
ન્યુઝ પેપરમાં જાહેરાત તારીખ | 08 જાન્યુઆરી 2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાતના 10 દિવસો માં |
અરજી કરવાની રીત | ઓફલાઇન |
પગાર ધોરણ | ₹ 49,600 |
Ashram Shala Bharti 2025 જગ્યાઓ
જગ્યાનું નામ | જગ્યાની સંખ્યા | રોસ્ટર ક્રમ જાતિ | વિષય |
---|---|---|---|
શિક્ષણસહાયક (ધો-11,12) | 01 | બિન અનામત | સમાજશાસ્ત્ર |
Ashram Shala Bharti નોકરી સ્થળ
- ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમશાળા અડદા, તા.નવસારી, જિ.નવસારી વિષય-સમાજશાસ્ત્ર, ધો-૧૧ થી ૧૨ માટે શિક્ષણસહાયક-૦૧
Ashram Shala Bharti 2025 માટે શૈક્ષણિક લાયકાત
જગ્યાનું નામ | લાયકાત | વિષય |
---|---|---|
શિક્ષણસહાયક (સમાજશાસ્ત્ર) | એમ.એ.બી.એડ.ટાટ-૨ | સમાજશાસ્ત્ર |
ઉંમર મર્યાદા
ઓછામાં ઓછી ઉંમર | 18 વર્ષ |
વધુમાં વધુ ઉંમર | 35 વર્ષ |
ઉંમરમાં છૂટછાટ | સરકારશ્રી ના ધારાધોરણ મુજબ |
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
અરજી ફી
આ ભરતી માટે કોઈ અરજી ફી ભરવાની નથી.
પસંદગી પ્રક્રિયા
આવેલી બધી જ અરજીઓ ના મેરીટ આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
Ashram Shala Bharti 2025 અગત્યની તારીખો
અરજી શરૂ થવાની તારીખ | 08 જાન્યુઆરી 2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાતના 10 દિવસો માં |
શિક્ષણ સહાયક પગાર ધોરણ
આ શિક્ષણ સહાયક ની ભરતી માટે ધો 11,12 માં માસિક ₹ 49,600 પગાર રહેશે.
Ashram Shala Bharti 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
ઉપરોક્ત લાયકાત ધરાવનાર ઉમેદવારો પાસેથી લાયકાત મુજબ પૂરેપૂરુ સરનામું અને બે સંપર્ક નંબર તથા આઈડી પ્રૂફ સાથે સ્વપ્રમાણિત કરેલ તમામ પ્રમાણપત્રોની નકલ સહિતની અરજીઓ ફક્ત રજીસ્ટડ એડી દ્વારા જાહેરાત પ્રકાશિત થયેથી 10 (દસ) દિવસમાં મંગાવવામાં આવે છે.
અરજી મોકલવાનું સરનામું :
પ્રમુખશ્રી, હળપતિ સેવા સંઘ
કામગાર ઘર, સ્ટેશન રોડ, બારડોલી જિ: સુરત પિન: ૩૯૪૬૦૧
અગત્યની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |
ખાસ નોંધ : આ માહિતી દિવ્ય ભાસ્કર તા 8/1/2025 માં આવેલ જાહેરાતના આધારે આપેલી છે. આ જાહેરાત ઉપર આપેલ Official Notification માં જોઈ શકો છો.
અન્ય સૂચનાઓ
- જાહેરાત દર્શાવ્યા મુજબ ઉચ્ચતર ઉત્તર માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયકમાં TAT-2 ફરજીયાત પાસ કરેલ હોવા જોઈએ અને તેઓની પરીક્ષાની પરિણામની મુદત શિક્ષણ વિભાગના વર્તમાન ઠરાવ મુજબની જોગવાઈ મુજબ રહેશે.
- ઉમેદવારોએ રજીસ્ટર એ.ડી.થી અરજી કરવાની રહેશે. અધુરી વિગતવાળી, સમયસર ન મળેલી તથા જાહેરાત મુજબની લાયકાત ન ધરાવનાર ઉમેદવારની અરજીઓ રદ થવા પાત્ર રહેશે. ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી (આશ્રમશાળા) નવસારી જિલ્લા સી-બ્લોક, ત્રીજો માળ, બહુમાળી ભવન, જુના થાણા, નવસારી ૩૯૬૪૪૫ ને મોકલવાની રહેશે.
- દિવ્યાંગજન અરજદારે સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે.
- શિક્ષણ વિભાગ ગુ. રા. ગાંધીનગરના સુધારા ઠરાવ બમશ/૧૧૫૫/૨૨/ગ/તા. ૧૯/૦૨/૨૦૧૯ મુજબ શિક્ષણ સહાયક ને સરકારી ધારાધોરણ મુજબ માસિક ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે. સંતોષકારક રીતે પાંચ વર્ષ પૂર્ણ કર્યા બાદ પુરા પગાર ધોરણમાં સમાવેશ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
- માનનીય કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસ કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગરના પરિપત્ર નંબર આવિ/આશા/ફાઈલ નં/૨૩૩૦/૨૦૧૯/૨૦૨૦ થી ૨૦૬૦ તારીખ ૩૦-૧૧-૨૦૧૯ અન્વયે શિક્ષકોને વિનામૂલ્યે રહેઠાણની સુવિધા આપવામાં આવશે. ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમશાળા ૫૦% કન્યાઓને પ્રવેશ આપવામાં આવે છે તેથી મહિલા શિક્ષિકાઓ ને ગૃહમાતા અને શિક્ષકોએ ગૃહપતિ તરીકે ફરજીયાત ફરજ નિભાવવાની રહેશે.
- ફક્ત મેરીટમાં નામ આવવાથી કોઈપણ ઉમેદવાર નિમણુંક માટે હકક દાવો માંડી શકશે નહીં. પસંદગી બાબતે જિલ્લા પસંદગી સમિતિનો નિર્ણય આખરી રહેશે.
- સરકારી અનુદાનિત બોર્ડ/ કોર્પોરેશન સંસ્થાના કર્મચારી હોય તો સક્ષમ અધિકારીનું ના વાંધા પ્રમાણપત્ર અરજી સાથે સામેલ કરવાનું રહેશે.
- જે ઉમેદવારના ગુણપત્રકમાં યુનિવર્સીટી દ્વારા ગ્રેડ – C.G.P અથવા S.G.P દર્શાવેલ છે તેવા ઉમેદવારોએ યુનિવર્સીટી કે કોલેજમાંથી તમામ વર્ષ કે સેમેસ્ટરના કુલ ગુણમાંથી મેળવેલ ગુણનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.